સમન્સથી બોલાવેલ વ્યકિત ન મળી આવે તો બજવણી કરવાની રીત - કલમ : 66

સમન્સથી બોલાવેલ વ્યકિત ન મળી આવે તો બજવણી કરવાની રીત

પૂરતી ખંડ દાખવ્યા છતાં સમન્સથી બોલાવેલ વ્યકિત ન મળી આવે તો તેની સાથે રહેતા તેના પુખ્ત વયના કોઇ કુટુંબીને સમન્સની બે નકલોમાંની તેના માટેની એક નકલ આપીને તે બજાવી શકાશે અને જેને એ રીતે સમન્સ આપવામાં આવે તે વ્યકિતએ બજવણી કરનાર અધિકારી ફરમાવે તો બીજી પ્રતની પાછલી બાજુએ તે સમન્સ મળ્યા બદલ સહી કરી આપવી જોઇશે.

સ્પષ્ટીકરણ.- આ કલમના અથૅ મુજબ નોકર કુટુંબી નથી.